લીમડો
લીમડો (
અઝદિરચ્તા ઇન્ડિકા )એ મેલિયેસી કુળનું
વૃક્ષ છે. '
એઝાડિરેક્ટા ઈન્ડિકા વનસ્પતિ પ્રજાતિના વર્ગની બે શ્રેણીમાંથી તે એક છે, અને ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશીયા અને પાકિસ્તાનમાં ઉદ્દગમ સ્થાન ધરાવે છે, ઉષ્ણકટિબંધ અને પેટા-ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં ઉગે છે. લીમડાના અન્ય નામો આ મુજબ છે નીમ (હિન્દી, ઉર્દૂ અને બંગાળી), નીમ્મ (પંજાબી), આર્ય વેપ્પુ (મલયાલમ), અઝાદ દિરખ્ત (પર્શિયન), નીમ્બા (સંસ્કૃત અને મરાઠી), દોગોનયારો (અમૂક નાઇજીરીયાની ભાષામાં), માર્ગોસા, નીબ (અરેબિક), નીમટ્રી, વેપુ, વેમ્પુ, વેપા (તેલુગુ), બેવુ (કન્નડ), કોહોમ્બા (સિંહાલા), વેમ્પુ (તમિલ), તામર (બર્મિસ), ક્સોન એન ડો (વિયેટનામીઝ), અને ઇન્ડીયન લીલાક (ઇંગ્લીશ). પૂર્વ આફ્રિકામાં તે પણ મૌરુબૈની
(સ્વાહિલી) તરીકે ઓળખાય છે, જેનો અર્થ છે 40 નું વૃક્ષ
, કારણ કે તે 40 વિવિધ રોગોની સારવાર કરે છે તેવું માનવામાં આવે છે.
લીમડો એ ઝડપી-વિકાસ પામતુ
વૃક્ષ છે જે 15-20 મી (આશરે 50-65 ફુટ), ભાગ્યે જ 35-40 મી (આશરે 115 – 131 ફુટ) ની ઊંચાઇ સુધી જઇ શકે છે. તે
સદાય લીલું હોય છે, પરંતુ તીવ્ર
દુષ્કાળમાં
તેના લગભગ અથવા તમામ પાંદડા ખરી જાય છે. તેની શાખાઓ વિસ્તૃત રીતે ફેલાય
છે. તેની સામાન્ય ઘનત ગોળ અને ઇંડાકારની હોય છે અને જુનાં, સ્વતંત્ર-ઉભેલ
પ્રજાતિઓમાં 15-20 મીનો વ્યાસ ધરાવે છે.
થડ સાપેક્ષ રીતે ટૂંકુ, સીધુ હોય છે અને 1.2 મી (આશરે 4 ફુટ) ના વ્યાસ સુધી પહોંચે છે.
20 થી 31 પાંદડાની આશરે 3-8 સેમી (1 થી 3 ઇંચ) લાંબી મધ્યમથી હળવી
લીલી ડાળખીઓ સાથે, સામસામા, નાનકડાં પાંદડાં 20-40 સેમી (8 થી 16 ઇંચ) લાંબા હોય છે. છેડાનું પાંદડું ઘણીવાર ગુમ થયેલ હોય છે. પાંદડાંની
ડીટાં
ટૂંકા હોય છે. ખૂબ તાજાં પાંદડાં લાલથી જાંબુડિયા રંગના હોય છે. પુખ્ત
પાંદડાંઓનો આકાર થોડો અથવા વધુ અસમપ્રમાણ હોય છે અને તેના અડધાં વાર્નિશના
મૂળના અપવાદ સાથે તેના અંતરો ખાંચાવાળાં હોય છે, જે સામાન્ય રીતે ખૂબ ટૂંકા
અને
શંકુકારના હોય છે.
ફૂલો (સફેદ અને સુગંધિત)
વ્યવસ્થિત હોય છે, સામાન્ય રીતે થોડાં-અથવા-વધુ નમેલાં
ઝુમખાંમાં હોય છે જે 25 સેમી (10 ઇંચ) જેટલા લાંબા હોય છે. ડાળમાં ત્રીજા ભાગ સુધી
મોર હોય છે, અને તેમાં 150 થી 250 ફૂલ હોય છે. એક ફૂલ 5-6 મીમી લાંબુ અને 8-11 મીમી પહોળા હોય છે.
સ્ત્રીલીંગ ફૂલો અને પુલીંગ ફૂલો એક ડાળખી પર સ્વતંત્ર રીતે હોય છે. ફૂલોનો ઉપયોગ ઉગાડી પાછડી નામની
કઢી બનાવવા માટે થાય છે.
ફળ એ સુંવાળુ (
મુલાયમ) ઓલિવ-જેવું
ઠળીયાવાળું
હોય છે જે પહોળા ઇંડાકારથી લગભગ ગોળાકાર જેવા વિવિધ આકારમાં હોય છે, અને
જ્યારે પાકે ત્યારે 1.4-2.8 x 1.0-1.5 સેમી. નું થાય છે. ફળની છાલ (આવરણ) એ
પાતળી અને થોડો-મીઠો માવો (મધ્યમઆવરણ) પીળો-સફેદ અને ખૂબ રેસાયુક્ત હોય
છે. માવો 0.3 – 0.5 સેમી. ઘાટ્ટો હોય છે. ફળનો સફેદ, કઠણ અંદરનો ભાગમાં
(આંતરભાગ) ઘેરું
બી આવરણ ધરાવતા એક, ભાગ્યે જ બે અથવા ત્રણ, ઇંડાઆકારના બી (દાણાં) નો સમાવેશ હોય છે.
લીમડાનું વૃક્ષ એ દેખાવમાં
ચાઇનાબેરી જેવું સમાન હોય છે, જેના તમામ ભાગો ખૂબ કડવાં હોય છે.
[ફેરફાર કરો] ઇકોલોજી (જીવંત પ્રાણી કે જીવને સંબધિત પર્યાવરણ)
લીમડાનું વૃક્ષ તેના
દુષ્કાળ પ્રતિરોધ
માટે જાણીતું છે. સામાન્ય રીતે તે થોડાં સૂકાંથી થોડા-ભેજવાળા વાતાવરણમાં,
400 થી 1200 મીમી વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં ઝડપથી વધે છે. તે 400 મીમી
વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઊગી શકે છે, પરંતુ આ પ્રકારના કિસ્સાઓમાં
તે જમીનના પાણી સ્તરો પર વિસ્તૃત રીતે આધાર રાખે છે. લીમડો ઘણી વિવિધ
પ્રકારની
જમીનમાં
ઊગી શકે છે, પરંતુ પાણીવાળી અને રેતાળ જમીનોમાં ઝડપથી ઊગે છે. તે મૂળ
ઉષ્ણકટિબંધથી પેટાઉષ્ણકટિબંધનું વૃક્ષ છે અને વાર્ષિક 21-32 સે. વચ્ચેના
ઓછા તાપમાને ટકી રહે છે. તે વધુથી તીવ્ર તાપમાન સહન કરી શકે છે અને 4 સે.
થી નીચુ તાપમાન સહન કરી શકતો નથી. લીમડો એ જીવન-બક્ષતુ વૃક્ષ છે, ખાસ કરીને
સૂકા દરિયાઇ, દક્ષિણ રાજ્યો માટે. તે ખૂબ ઓછી-છાયાં આપતા વૃક્ષોમાંનું એક
છે જે સૂકાં-સપાટ વિસ્તારોમાં ઝડપથી ઊગે છે. વૃક્ષો સંપૂર્ણ રીતે પાણીની
ગુણવત્તા વિશે સંવેદનશીલ નથી અને કોઇપણ ગુણવત્તા ધરાવતા, પાણીનાં થોડા
ટીપાંથી પણ ઊગે છે. તામિલનાડુમાં લીમડાના વૃક્ષો ખૂબ સામાન્ય રીતે જોવામાં
આવે છે તેનો ઉપયોગ શેરીઓમાં લાઇન કરવા માટે થાય છે અથવા લગભગ લોકોના ઘરના
પાછળના ભાગે હોય છે. ખૂબ સૂકા વિસ્તારોમાં, જેમ કે સિવાકાસી, જમીન પર મોટી
કતારોમાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે, જેની છાયાંમાં ફટાકડાંની ફેક્ટરીઓ
કાર્યરત છે.
તેના ઉદ્દગમ વિસ્તારો નથી તેવા ઘણા વિસ્તારોમાં લીમડાને
અતિક્રમણ કરનાર પ્રજાતિ ગણવામાં આવે છે.
પાકિસ્તાની વૈજ્ઞાનિક
સલીમુઝ્ઝમાન સિદ્દીકી (પાછળથી) પ્રથમ વેજ્ઞાનિક હતાં જેમણે વૃક્ષને
પાઇથોફાર્માકોલોજીસ્ટના ધ્યાને મૂક્યું. 1942 માં (1947 માં પાકિસ્તા ભારતથી છૂટું થયું) જ્યારે
દિલ્હી યુનિવર્સિટી,
ભારત ખાતેની સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ લેબોરેટરીમાં કાર્ય કરતા
હતા, ત્યારે તેમણે લીમડાના તેલમાંથી ત્રણ કડવાં બંધારણ તૈયાર કર્યાં, તેણે
અનુક્રમે
નીમ્બીન ,
નીમ્બીનીન અને
નીમ્બીદીન નામ આપ્યાં.
[૧] બીજ જટિલ દ્વિતીયક પાચક
જંતુનાશક ધરાવે છે.
ભારતમાં, વૃક્ષ “પવિત્ર વૃક્ષ”, “રામબાણ”, “પ્રકૃતિની દવા દુકાન”,
“ગ્રામ્ય દવા” અને “તમામ રોગો માટે અક્સીર ઇલાજ” જેવા વિવિધ ઉપનામોથી ઓળખાય
છે. લીમડામાંથી તૈયાર થતા ઉત્પાદનો પ્રમાણિત તબીબી ગુણો ધરાવે છે,
કૃમિનાશક, ફૂગપ્રતિરોધી, ડાયાબિટીસ પ્રતિરોધી, બેક્ટેરીયા પ્રતિરોધી, વાયરસ પ્રતિરોધી, ફળદ્રુપતા પ્રતિરોધી, અને
શામક હોય છે.
આયુર્વેદિક દવામાં તેને મુખ્ય ભાગ ગણવામાં આવે છે અને ત્વચા રોગ માટે તેનું ખાસ સૂચન કરવામાં આવે છે.
- વૃક્ષના તમામ ભાગો (બી, પાંદડાં, ફૂલો અને છાલ) નો ઉપયોગ ઘણી વિવિધ તબીબી દવાઓ તૈયાર કરવામાં થાય છે.
- લીમડાંના વૃક્ષના ભાગનો ઉપયોગ શુક્રાણુનાશક પદાર્થ તરીકે પણ થઇ શકે છે.
- લીમડાનું તેલ સોંદર્યપ્રસાધનો (સાબુ, શેમ્પુ, બામ અને ક્રિમ, ઉદાહરણ તરીકે માર્ગો સાબુ) તૈયાર કરવામાં થાય છે અને ત્વચા સંભાળ જેમ કે ખીલ
સારવાર, અને ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવી રાખવા માટે ઉપયોગી છે. લીમડાંનુ
તેલ એક અસરકારક મચ્છર દૂર રાખનાર છે તેવું જાણવામાં આવ્યું છે.
- જંતુ, જીવાણુ, અને કૃમિ સહિત વિશ્વના આશરે 500 જેટલા જીવાણુને તેમના
લક્ષણો અને કાર્યોમાં અસર કરીને લીમડાં ઉત્પાદનો તેને બિનકાર્યક્ષમ બનાવે
છે. સામાન્ય રીતે લીમડો જીવનો તુરંત નાશ કરતો નથી, પરંતુ તેને દૂર કરે છે
અને તેના વિકાસને અટકાવે છે. લીમડાં ઉત્પાદનો સસ્તાં અને મોટા પ્રાણીઓ અને
ખતરનાક જંતુઓ માટે બિનઝેરી હોવાથી, ગ્રામ્ય વિસ્તારોમાં જંતુ નિયંત્રણ માટે
અનુકૂળ છે.
- પરંપરાગત ભારતીય દવામાં તેના ઉપયોગને બાજુ પર રાખતા લીમડાંનું વૃક્ષ
રણને વિસ્તરતુ અટકાવવા અને સંભવિત સારો કાર્બન ડાયોક્સાઇડ અકત્ર કરનાર
તરીકે મોટું મહત્વ ધરાવે છે.
- અછબડાથી પીડાતા દર્દીઓને લીમડાના પાંદડાં પર સૂવાની ભલામણ પરંપરાગત ભારતીય દવા તબીબો કરે છે.
- લીમડાંના ગુંદરનો ઉપયોગ પ્રતિરોધક એજન્ટ તરીકે અને ખાસ હેતુના આહાર (ડાયાબિટીસના દર્દીઓ માટે) તૈયાર કરવા માટે થાય છે.
- લીમડાના પાંદડાંના અર્કે સંભવિત અર્થસભર ડાયાબિટીસ પ્રતિરોધનું પ્રદર્શન કર્યું છે.
- પરંપરાગત રીતે, લીમડાંની પાતળી ડાળીઓને કોઇના દાંત ચોખ્ખાં કરવા માટે
ચાવવામાં આવે છે. આ ઉપયોગ માટે લીમડાંની નાની ડાળખીને હજુ એકત્ર કરવામાં
આવે છે અને તેનું બજારમાં વેચાણ કરવામાં આવે છે, અને ભારતમાં ગલીઓમાં
ઘણીવાર યુવાનો લીમડાંની નાની ડાળખી ચાવતા જોવામાં આવે છે.
- પરંપરાગત ભારતીય દવા તરીકે લીમડાના મૂળીયાંમાંથી તૈયાર કરેલ ઉકાળો તાવમાં રાહત માટે પીવામાં આવે છે.
- ખીલની સારવાર માટે ત્વચા પર લીમડાના પાંદડાંનો મલમ લગાડવામાં આવે છે.
- આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, અને કર્ણાટકમાં ઉગડી પાછડી
બનાવવા માટે લીમડાંના ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર, “બેવીના હુવીના
ગોઝુ” (લીમડાના ફૂલોમાંથી બનાવવામાં આવેલ એક પ્રકારની કઢી) સમગ્ર વર્ષ
દરમિયાન કર્ણાટકમાં સામાન્ય છે. સૂકાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે
તાજાં ફૂલો ઉપલબ્ધ નથી.
- લીમડાના ફૂલો અને બેલા (ગોળ અથવા અશુદ્ધ કાળી ખાંડ)નું મિશ્રણ તૈયાર
કરવામાં આવે છે અને નવાં વર્ષની કડવી અને મીઠી ઘટનાઓના ચિહ્ન તરીકે મિત્રો
અને પરિવારોમાં આપવામાં આવે છે.
મેલેરીયાના
ઉપચાર માટે લીમડાનો અર્ક અક્સીર માનવામાં આવે છે જોકે કોઇ સુગ્રાહ્ય
તીબીબી અભ્યાસો હજુ ઉપલબ્ધ નથી. અમુક કિસ્સાઓમાં, મેલેરીયા નિષેધ માટે
સેનેગલમાં ખાનગી ધોરણે પગલાં સફળ થયાં છે.
[૨] જોકે, મુખ્ય NGOs જેમ કે USAID લીમડાના અર્કનો ઉપયોગ કરવાનું વિચારતી નથી સિવાય કે તબીબી અભ્યાસો વડે તબીબી ફાયદા પૂરવાર થાય.
[ફેરફાર કરો] જંતુ અને રોગ નિયંત્રણમાં ઉપયોગો
ખૂજલીની સારવારમાં લીમડો ખૂબ અસરકારક માનવામાં આવે છે, જોકે માત્ર પ્રાથમિક વૈજ્ઞાનિક પુરાવો, હજુ સાબિત કરવાનો બાકી છે, હયાત છે
(સંદર્ભ આપો), અને
પર્મેથ્રીન,
જાણીતી જંતુનાશક જે તકલીફકારક હોઇ શકે છે તેના પ્રત્યે જે લોકો સંવેદનશીલ
હોય છે તેમને ભલામણ કરવામાં આવે છે. વધુમાં, ખૂજલી જીવાણુઓ હજુ લીમડાં
પ્રતિકારક થવાના બાકી છે, આથી સંલગ્ન કિસ્સાઓમાં લીમડો ખૂબ અસરકારક જોવામાં
આવ્યો છે. માનવોમાં માથાની
જુના
ઉપદ્રવની સારવારમાં લીમડાની અસરકારકતાના છૂટક પ્રસંગ પુરાવા પણ છે. ઉકાળેલ
લીમડાના પાંદડાંમાંથી ચા બનાવવામાં આવે છે, ઘણીવાર આદુ જેવાં અન્ય વનસ્પતિ
સાથે મિશ્રણ કરીને, આંતરડાંના કૃમિ સામે પ્રતિકાર માટે પીવામાં આવે છે
(સંદર્ભ આપો).
લીમડાના તેલનો છંટકાવ તરીકે બિલાડી અને કૂતરા માટે
ચાંચડના પ્રતિરોધ કરવા માટે કરવામાં આવે છે.
[ફેરફાર કરો] હિન્દુ પરંપરા અને લીમડાના પાંદડાં
હિન્દુ પરંપરામાં
આંધ્રપ્રદેશ અને
તમિલનાડુમાં
દક્ષિણ રાજ્યોમાં ઉનાળાની મોસમમાં અમ્મન તહેવારો આવે છે. ઉનાળાના
મહિનાઓમાં (ઉનાળા મોસમ દરમિયાન) તહેવારો ઉજવવાનું એક સારું કારણ છે કારણ કે
અમુક ગરમી-સંલગ્ન રોગો જેવા કે ઓરી, શીતળા, અછબડા, અળાઇ, અને ગરમી અળાઇ
ઝડપી ફેલાતા અને ખૂબ સામાન્ય હોય છે. આ ચેપી અને બિન-ચેપી રોગોને અટકાવવા
માટે, લોકોએ લીમડાના પાંદડાં અને લીમડાની છાલનો આ તહેવાર ઉજવવાનું શરૂ
કર્યું. લોકોને હકિકતની ખબર નથી કે લીમડાના પાંદડાં, એન્ટિસેપ્ટિક,
બેક્ટેરીયા પ્રતિરોધી, અને ફૂગ પ્રતિરોધી લક્ષણો ધરાવે છે, તેઓ માને છે
ભગવાનનો આ પ્રસાદ છે અને આથી તેઓ લીમડાના પાંદડાં અને
હળદરના પાવડરનો ઉપયોગ કરી ભાવપૂર્વક ભગવાનનું ભજન કરે છે.
એવું પણ માનવામાં આવે છે કે લીમડાના પાંદડાંનું આવરણ અછબડા અને ઓરીની
સારવાર માટે અસરકારક છે; ઝડપી સાજાં કરવાના પ્રયાસ તરીકે શરીર પર પાંદડાંઓ
હળવી રીતે ઘસવામાં પણ આવે છે. આ પરંપરાગત સારવાર હજુ પણ ભારતના ગ્રામ્ય
વિસ્તારોમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
લીમડાના વૃક્ષની હળવી ડાળખી અને ફૂલો ભારતમાં શાકભાજી તરીકે ખોરાકમાં લેવાય છે. લીમડાના ફૂલો
ઉગડી પાછડી (અથાણાં જેવો સૂપ) માં ઉપયોગ માટે ખૂબ જાણીતા છે, આ સૂપ આંધ્રપ્રદેશ,
તમિલનાડુ અને કર્ણાટકના દક્ષિણ રાજ્યોમાં ઉગાડી દિવસના રોજ બનાવવામાં આવે છે.
તમિલનાડુમાં
વેપ્પામ્પુ રસમ (
તમિલ) (“લીમડાના ફૂલની
રસમ”) નામની સૂપ જેવી ડિશ લીમડાના ફૂલમાંથી બનાવવામાં આવે છે.
સાઉથઇસ્ટ એશિયાની મુખ્ય ભૂમિમાં પણ લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે, ખાસ કરીને
કમ્બોડીયા, લાઓસ (જ્યાં તેને
કડાઓ કહે છે),
થાઇલેન્ડ (જ્યા તેને
સદાઓ અથવા
સ્દાઓ તરીકે ઓળખવામાં આવે છે),
મ્યાનમાર (જ્યાં તેને
તમાર તરીકે ઓળખવામાં આવે છે) અને વિએટનામ (જ્યાં તેને
સાઉ દાઉ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ
ગોઇ સાઉ ડાઉ
સલાડ રાંધવામાં ઉપયોગમાં લેવાય છે. હળવી રીતે રાંધવાથી, સ્વાદ થોડો કડવો
બને છે અને આથી આ રાષ્ટ્રોના તમામ રહેવાસીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો
નથી, આથી એવું માનવામાં આવે છે કે સ્વાસ્થ્ય માટે તે સારો છે. લીમડાનું
ગૂંદર પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. મ્યાનમારમાં, લીમડાના તાજાં પાંદડાં
અને ફૂલોની કળીને આમલી સાથે ઉકાળવામાં આવે છે જેથી તેની કડવાશ ઓછી થાય અને
શાકભાજી તરીકે આહારમાં લઇ શકાય. મ્યાનમારમાં લીમડાના ચૂંટેલા પાંદડાઓ ટમેટા
અને માછલીના સોસ સાથે પણ આરોગવામાં આવે છે.
[ફેરફાર કરો] ભારતમાં હિન્દુ તહેવારો સાથે સંબંધ
લીમડાના પાંદડાં અને છાલને કડવા સ્વાદના કારણે
પીત રાહતમાં અસરકારક માનવામાં આવે છે. આથી, પરંપરાગત આયુર્વેદમાં ઉનાળાની શરૂઆતના સમય દરમિયાન (જે
હિન્દુ કેલેન્ડર મુજબ
ચેત્ર માસ જે સામાન્ય રીતે માર્ચ-એપ્રીલ મહિનામાં આવે છે) તેનું સૂચન કરવામાં આવે છે, અને
ગુડી પડવા
દરમિયાન, જે મહારાષ્ટ્ર રાજ્યનું નવું વર્ષ છે, આ દિવસે તહેવારની શરૂઆત
પહેલાં લીમડાનો રસ અથવા મલમ થોડી માત્રામાં લેવાની જૂની રૂઢિ છે. ઘણા
હિન્દુ તહેવારો અને તેના સંબંધો અમુક આહાર સાથે ઋતુ અથવા ઋતુ ફેરફારની
નકારાત્મક આડઅસરો ટાળવા માટે છે, લીમડાનો રસ
ગુડી પડવા સાથે સંલગ્ન છે જેથી લોકોને ઉનાળાના પીતને હળવું કરવાની ઋતુ અથવા ચોક્કસ મહિના દરમિયાન તેનો ઉપયોગ કરવાનું યાદ રહે.
તામિલનાડુમાં ઉનાળાના મહિના એપ્રીલથી જુન દરમિયાન,
મરીયામ્મન
મંદિર તહેવાર વર્ષો જૂની પરંપરા છે. લીમડાના પાંદડાં અને ફૂલો એ મરીયામ્મન
તહેવારના ખૂબ મહત્વના ભાગ છે. મરીયામ્મન દેવીની મૂર્તિને લીમડાના પાંદડાં
અને ફૂલોનો હાર પહેરાવવામાં આવે છે. લગભગ તમામ ઉજવણી અને લગ્નના પ્રસંગોએ
તામિલનાડુના લોકો તેની આજુબાજુનો વિસ્તારનું લીમડાના પાંદડાં અને ફૂલોથી સુશોભન કરે છે અને દૂષિત શક્તિઓ અને ચેપને પણ દૂર રાખે છે.
1995 માં યુરોપિયન પેટન્ટ ઓફિસે (EPO)
યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર એન્ડ મલ્ટીનેશનલ
ડબલ્યુ. આર. ગ્રેસ એન્ડ કંપનીને લીમડામાંથી તૈયાર કરવામાં આવતા ફુગ-પ્રતિરોધી ઉત્પાદનની પેટન્ટની મંજુરી આપી.
[૩]
મંજુરી આપવામાં આવી ત્યારે ભારતીય સરકારે પેટન્ટને પડકારી, દાવો કર્યો કે
જે પ્રક્રિયા માટે પેટન્ટને મંજુરી આપવામાં આવી હતી તેનો 2000 વર્ષો
પહેલાંથી ભારતમાં ઉપયોગ કરવામાં આવે છે. 2000 માં EPO એ ભારતની તરફેણ કરી
પરંતુ યુએસ મલ્ટીનેશનલને અપીલ કરી દાવો કર્યો કે ઉત્પાદની રીતનું ક્યારેય
વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશન કરવામાં આવ્યું નથી. 8 માર્ચ 2005 ના રોજ, અપીલ
રદ્દ થઇ અને EPO એ લીમડા પેટન્ટ રદ્દ કરી વૃક્ષને આ પેટન્ટ બંધનોથી મુક્ત
કરી હક્કોની જાળવણી કરી.
[૩]
-
-
-
ગ્રામ્ય પંજાબી ઘરોમાં લીમડાના ઝાડ નીચે પ્રાણીઓ
-
GntNeemFlowers.jpg
નજીકથી લીમડાના ફૂલો
-
GntNeemTree.jpg
ગુંટુર, ભારત ખાતે વસંત ફૂલો સાથે લીમડા વૃક્ષ
-
-